Prasuti Sahay Yojana – સંપૂર્ણ માહિતી (2025)
જય શ્રી કૃષ્ણ મિત્રો! જો તમે ગુજરાતના બાંધકામ શ્રમિક છો અથવા તમારી પત્ની બાંધકામ ક્ષેત્રમાં કાર્યરત છે, તો આ પોસ્ટ ખાસ તમારા માટે છે. આજકાલ સરકાર અનેક સરસ યોજનાઓ ચલાવે છે જેમાંથી એક મહત્વપૂર્ણ યોજના છે – Prasuti Sahay Yojana. આ યોજના દ્વારા સરકાર માતૃત્વ દરમિયાન નાણાકીય સહાય આપી સમાજમાં સમાનતાનું વાતાવરણ ઉભું કરે છે.
યોજના શું છે?
Prasuti Sahay Yojana ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તેનું મુખ્ય ઉદ્દેશ છે કે બાંધકામ શ્રમિક મહિલાઓ અથવા તેમના પત્નીને ગર્ભાવસ્થામાં નાણાકીય સહાય આપી શકે જેથી તે આરોગ્યપૂર્ણ પ્રસુતિ કરી શકે અને પરિવાર પર આર્થિક ભાર ન આવે.
કોણ લાભ લઇ શકે?
- નોંધાયેલા બાંધકામ શ્રમિક
- નોંધાયેલી મહિલા બાંધકામ શ્રમિક (માત્ર પ્રથમ બે પ્રસુતિ માટે)
- બાંધકામ શ્રમિકની પત્ની (માત્ર પ્રથમ બે પ્રસુતિ માટે)
કેટલી સહાય મળે?
- મહિલા બાંધકામ શ્રમિકને – કુલ ₹37,500
- બાંધકામ શ્રમિકની પત્નીને – કુલ ₹6,000
Prasuti Sahay Yojana જરૂરી ડોક્યુમેન્ટ્સ
આજ્ઞાર્થીએ નીચે મુજબના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે:
- ઇ-નિર્માણ કાર્ડની ઝેરોક્સ કોપી
- મમતા કાર્ડ અથવા પી.એચ.સી માન્ય ડૉક્ટરનું પ્રમાણપત્ર (એક પૈકી કોઈ એક)
- બાળકના જન્મનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડની નકલ
- બેંક પાસબુકનો પ્રથમ પેજ
- રેશન કાર્ડની નકલ
- નમૂના મુજબનું સોગંધનામું
અરજી કઈ રીતે કરવી?
- ગર્ભાવસ્થાની તારીખથી ગણતાં 6 મહિનાની અંદર અરજી કરવાની રહેશે.
- પ્રસુતિ થયા પછી અરજી કરવી હોય તો 12 મહિનાની અંદર અરજી જરૂરી છે.
- અરજી ઓનલાઇન અથવા જિલ્લા કચેરીમાં કરી શકાય છે.
પ્રક્રિયા
- અરજદારે અરજી ફોર્મ ભરીને સબમિટ કરવું.
- જિલ્લા પ્રોજેક્ટ મેનેજર દ્વારા ફોર્મની તપાસ થાય છે.
- રાજ્ય સ્તરે મંજૂરી મળે છે.
- મદદની રકમ ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં DBT દ્વારા જમા થાય છે.
નિષ્કર્ષ:
મિત્રો,prasuti sahay yojana 2024 એ ગુજરાત સરકારનો એક સરાહનીય પ્રયાસ છે, જે બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકોની મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન પૂરતી નાણાકીય સહાય કરે છે. તમે અથવા તમારું કોઈ નજીકનું વ્યક્તિ આ યોજના માટે પાત્ર હોય તો જરૂર અરજી કરો.

